ગત તા. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવતી સતત કાર્યવાહીથી પાકિસ્તાન હવે ગભરાયેલું લાગે છે. પાકિસ્તાનના કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પાસિંગ-આઉટ પરેડને સંબોધતા, પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું કે, પહેલગામની ઘટના દોષારોપણની રમતનું ઉદાહરણ છે જેને બંધ કરવી જોઈએ.
ગત તા. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવતી સતત કાર્યવાહીથી પાકિસ્તાન હવે ગભરાયેલું લાગે છે, જ્યારે પાકિસ્તાનના બધા મોટા નેતાઓ હતાશામાં પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા હતા, ત્યારે હવે પાકિસ્તાની પીએમએ શાંતિનો માર્ગ અપનાવવાની વાત કરી છે.
પાકિસ્તાનના કાકુલમાં પાક મિલિટરી એકેડેમીમાં પાસિંગ-આઉટ પરેડને સંબોધતા, પાકિસ્તાનના પીએમ શેહબાઝે કહ્યું હતું કે, "પહલગામમાં તાજેતરની ઘટના આ સતત દોષારોપણની રમતનું બીજું એક ઉદાહરણ છે, જેને સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ," એક અહેવાલમાં જણાવાયું છે કે, "એક જવાબદાર દેશ તરીકેની ભૂમિકા ચાલુ રાખીને, પાકિસ્તાન કોઈપણ તટસ્થ, પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર છે," તેમણે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાની જાહેરાત એક મોટો નિર્ણય છે, અને પાકિસ્તાન આ નિર્ણયથી ખૂબ નારાજ છે.
આ નિર્ણય અંગે, પાક પીએમએ કહ્યું, "પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે." પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, અમે કોઈપણ દુરાચારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ, અને કોઈએ આ અંગે કોઈ ભૂલ ન કરવી જોઈએ. આ દેશ 24 કરોડ લોકોનો છે, અને અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની પાછળ ઉભા છીએ.