દેશના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકવાદીઓએ બસ સળગાવી અને તેના મુસાફરોને ત્રાસ આપ્યો. પોલીસે રવિવારે આ જાણકારી આપી. આ ઘટના શનિવારના રોજ બની હતી જ્યારે ડ્રાઝિંડાથી ડેરા ઈસ્માઈલ ખાન જઈ રહેલી બસને ટીટીપીના આતંકવાદીઓએ દરબન તહસીલમાં રોકી હતી અને મુસાફરોને બળજબરીથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "ઘટના દરમિયાન, ટીટીપીના આતંકવાદીઓએ મુસાફરોને ઉતાર્યા બાદ બસને સળગાવી દીધી હતી. તેઓએ પહેલા મુસાફરોને અત્યાચાર ગુજાર્યો હતો અને બાદમાં સરકારને સમર્થન આપવા બદલ ધમકી આપી હતી." બાદમાં ભાગતી વખતે આતંકીઓએ બસને સળગાવીને રાખ કરી દીધી હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણી જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લગભગ પડી ભાંગી છે કારણ કે આતંકવાદીઓએ મોડી સાંજે જાહેર વ્યવસ્થા પર નિયંત્રણ મેળવ્યું હતું અને દક્ષિણ અને ઉત્તર વઝિરિસ્તાનના અસ્થિર આદિવાસી જિલ્લાઓમાં મુખ્ય માર્ગો પર કૂચ કરી હતી.