અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર આવેલ રાજદીપ એપાર્ટમેન્ટ નજીક ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર આવેલ રાજદીપ એપાર્ટમેન્ટ નજીક ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત
New Update

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ રાજદીપ એપાર્ટમેન્ટ નજીક ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ કુમકુમ બંગ્લોઝમાં રહેતા ભગવાન ભોજુભાઈ પાટીલ રવિવારના રોજ સાંજના સમયે પોતાની મોટર સાઈકલ નંબર-જી.જે.૧૬.એઈ.૯૧૫૫ લઈ જી.આઈ.ડી.સી.તરફ જઈ રહ્યા હતા. તે વેળા અંકલેશ્વર-વાલિયા રોડ સ્થિત રાજદીપ એપાર્ટમેન્ટ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર જી.જે.૦૬.વાય.૭૧૨૧ ના ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં ભગવાન પાટીલને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#ભરૂચ #Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article