કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિકતા બિલના વિરોધ રૂપે કરાયા ધરણાં

કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિકતા બિલના વિરોધ રૂપે કરાયા ધરણાં
New Update

અમદાવાદના કોચરબ ખાતે કોંગ્રેસ દ્વારા સીટીઝન પેમેન્ટ

ના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના

કાર્યકરો સહીત અગ્રણી નેતાઓ પણ ધરણામાં બેઠા હતા તથા સરકારની વિરુદ્ધમાં

સૂત્રોચ્ચારો પણ કર્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે નાગરિકતા બિલ મૂકવામાં

આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો અમદાવાદ કોચરબ આશ્રમ ખાતે બહોળી સંખ્યામાં

તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત

સિદ્ધાર્થ પટેલ તથા અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. સાથે સાથે પ્રદેશ પ્રમુખ  અમિત

ચાવડાએ જણાવ્યું હતું કે સિટીઝનશીપ એમેડમેન્ટ બિલ જો પસાર કરવામાં આવશે તો ભારતમાં

જે એકતા અખંડિતતા હતી તે ખોરવાઈ જશે તેની મોટી અસર લોકશાહી પર પણ થશે અને જો આ બિલ

હટાવવામાં નહીં આવે તો ભવિષ્યના પરિણામો ઘણા ખરાબ પણ આવી શકે છે.

#Congress #Connect Gujarat #Gujarat News #Amdavad
Here are a few more articles:
Read the Next Article