અમદાવાદના કોચરબ ખાતે કોંગ્રેસ દ્વારા સીટીઝન પેમેન્ટ
ના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના
કાર્યકરો સહીત અગ્રણી નેતાઓ પણ ધરણામાં બેઠા હતા તથા સરકારની વિરુદ્ધમાં
સૂત્રોચ્ચારો પણ કર્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે નાગરિકતા બિલ મૂકવામાં
આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો અમદાવાદ કોચરબ આશ્રમ ખાતે બહોળી સંખ્યામાં
તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત
સિદ્ધાર્થ પટેલ તથા અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. સાથે સાથે પ્રદેશ પ્રમુખ અમિત
ચાવડાએ જણાવ્યું હતું કે સિટીઝનશીપ એમેડમેન્ટ બિલ જો પસાર કરવામાં આવશે તો ભારતમાં
જે એકતા અખંડિતતા હતી તે ખોરવાઈ જશે તેની મોટી અસર લોકશાહી પર પણ થશે અને જો આ બિલ
હટાવવામાં નહીં આવે તો ભવિષ્યના પરિણામો ઘણા ખરાબ પણ આવી શકે છે.