દાહોદ: છ મહિના પહેલાં લગ્ન કરેલ દંપત્તિની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

દાહોદ: છ મહિના પહેલાં લગ્ન કરેલ દંપત્તિની ગળેફાંસો ખાઇ આત્મહત્યા
New Update

દાહોદમાં છ મહિના પહેલાં જ લગ્ન થયેલા દંપત્તિએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ અંગે પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે દંપત્તિએ કેમ આત્મહત્યા કરી તે અંગે હજુ કોઇ કારણ સામે આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં એક દંપત્તિ પરિવાર સાથે રહેતો હતો. અગમ્ય કારણોસર રવિવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.પરિવારના સભ્ય તેમના રૂમમાં જતા દંપત્તિની લાશો પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બંનેની લાશને નીચે ઉતારીને આગળી કાર્યવાહી હાથધરી હતી.

#Dahod #News #Gujarat News #Gujarati News #Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article