દાહોદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારને પાઠવી નોટિસ..! જાણો શું?

New Update
દાહોદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારને પાઠવી નોટિસ..! જાણો શું?

પાણીની કરકસર કરવા સૂચના આપવામાં આવી

ઉનાળાની શરૂઆત થીજ પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે આજે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર એ જાહેર નોટીસ મૂકી પોલીસ લાઈનમાં બ્લોક નં ૧ થી ૧૬ માં રહેતા પોલીસ કર્મચારી અને પરિવારને સૂચના આપવામાં આવી છે.

પાણી કરકસર થી વાપરવું, ઓટલા તેમજ, વાહનો ધોવા સહિતનો પાણીનો વેડફાટ નહીં કરવા તાકીદ કરવામાં આવી છે સાથે જ જો કોઈ પરિવાર કસૂરવાર જણાશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ સૂચના અપાઈ છે હાલ તો ઉપરોકત સૂચનાનું પોલીસ પરિવારો ચુસ્તપણે પાલન કરતાં જોવા મળી રહ્યા છે

Latest Stories