દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા, ગુરુ તેગબહાદુરને આપી શ્રદ્ધાંજલિ

New Update
દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા, ગુરુ તેગબહાદુરને આપી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર સવારે અચાનક જ દિલ્હીના રકાબગંજ સાહિબ ગુરૂદ્વારા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્વોચ્ચ બલિદાન માટે ગુરૂ તેગ બહાદુરને નમન કરતાં માથું ટેકવ્યું હતું. રાયસીના હિલ્સની પાછળ આવેલ આ ગુરૂદ્વારામાં છેલ્લાં 25 દિવસથી ‘સિખ સમાગમ’ ચાલી રહ્યું છે.

અધિકારીઓના મતે પીએમની વિઝિટ માટે કોઇપણ પ્રકારના પોલીસ બેરિકેડિંગ કરાયું નહોતું. પીએમ મોદી એવા સમયમાં રકાબગંજ ગુરૂદ્વારા ગયા જ્યારે દિલ્હીમાં પંજાબના હજારો ખેડૂત નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ આંદોલનરત છે. તેમણે હવે દેશભરના ખેડૂત સંગઠનોનું સમર્થન મળી ચૂકયું છે.

ખેડૂત સંગઠનોની નારાજગીની વચ્ચે પ્રધાનમંત્રી એ દરેક શકય અવસર પર નવા કાયદા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવાની કોશિષ કરી છે. એસોચેમનો કાર્યક્રમ હોય કે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વાતચીત, પીએમ વારંવાર સપ્ટેમ્બરમાં લાગૂ નવા કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યા છે. તેમણે ખેડૂત સંગઠનો સાથે વાતચીતની અપીલ પણ કરી હતી. મોદીએ 18 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે મારી વાતો પછી પણ, સરકારના આ પ્રયાસો બાદ પણ, જો કોઇને કોઇ આશંકા છે તો અમે માથુ ઝૂકાવીને, હાથ જોડીને, ખૂબ જ વિનમ્રતાની સાથે, દેશના ખેડૂતોના હિતમાં, તેમની ચિંતાનું નિરાકરણ કરવા માટે, દરેક મુદ્દા પર વાત કરવા માટે તૈયાર છે.

Read the Next Article

રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ

New Update
yellq

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.