નવસારી : વિજલપોર શહેરમાં થયેલા જૂથ અથડામણમાં ૭ આરોપીની કરાઇ ધરપકડ

નવસારી : વિજલપોર શહેરમાં થયેલા જૂથ અથડામણમાં ૭ આરોપીની કરાઇ ધરપકડ
New Update

નવસારીના વિજલપોર શહેરમાં થયેલા જૂથ અથડામણ મામલો

વિજલપોર પોલીસે ૦૭ આરોપીની કરી ધરપકડ

વિજલપોર શહેરમાં બે દિવસ પહેલા થઈ હતી બે જૂથ વચ્ચે અથડામણ

હજી ૯ આરોપી છે ફરાર જેમાં એક મહિલાનો પણ સમાવેશ

વિજલપોરના ભાજપના કોર્પોરેટ ઇન્દ્રસિંહ રાજપૂતનો પણ જૂથ અથડામણમાં આરોપી

નવસારીને અડીને આવેલ વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે થયેલી જૂથ અથડામણ મામલે પોલીસે જૂથને કાબુ મેળવવા ૨૫ ટીયર ગેસ છોડવા પડયા હતા. નાના અમથા અકસ્માતે મોટુરૂપ પકડીને હંગામો મચાવી દીધો હતો. જેમા એક પોલીસકર્મી સાથે ૪ લોકોના માથા ફૂટ્યા હતા. જે મામલે પોલીસે આજે ૭ આરોપીને ઝડપ્યા છે. જેમાં ૯ આરોપી ફરાર થયા છે. ભાજપ નગરસેવક ઇંદ્રજીતસિંહ રાજપૂત પણ અથડામણમાં સામેલ અને ભાજપની મહિલા કાર્યકર્તા પણ સામેલ હતી. નગરસેવક અને મહિલા કાર્યકર્તા પણ ફરાર થયા છે.

#Beyond Just News #ક્રાઇમ #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article