પેટ્રોલના ભાવમાં છેલ્લા દસ દિવસનો સૌથી મોટો ૨૧ પૈસાનો ઘટાડો

New Update
પેટ્રોલના ભાવમાં છેલ્લા દસ દિવસનો સૌથી મોટો ૨૧ પૈસાનો ઘટાડો
  • ડીઝલ ૧૫ પૈસા સસ્તું
  • સળંગ ૧૦મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો
  • દિલ્હીમાં દસ દિવસમાં પેટ્રોલ ૧ રૂપિયા અને ડીઝલ ૮૨ પૈસા સસ્તું થયું : - છેલ્લા દસ દિવસમાં ડીઝલના ભાવમાં નવમી વખત ઘટાડો થયો

પેટ્રોલના ભાવમાં આજે સળંગ દસમા દિવસે ઘટાડો નોંધાતા પ્રજાને કંઇક અંશે રાહત મળી છે. આજે પેટ્રોલના ભાવમાં છેલ્લા દસ દિવસનો સૌથી મોટો ૨૧ પૈસાનો ઘટાડો થયો છે.

આજે ડીઝલના ભાવમાં પણ ૧૫ પૈસાનો ઘટાડો થયો છે. છેલ્લા દસ દિવસમાં ડીઝલના ભાવમાં નવમી વખત ઘટાડો થયો છે. સળંગ ૧૫ દિવસ ભાવ વધ્યા પછી છેલ્લા દસ દિવસથી થઇ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી)એ જારી કરેલા નિવેદન અનુસાર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૨૧ પૈસા ઘટીને ૭૭.૪૨ રૂપિયા થયો છે.

જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ૧૫ પૈસા ઘટીને ૬૮.૫૮ રૂપિયા થઇ ગયો છે. જો કે પેટ્રોલના ભાવમાં સળંગ દિવસ ઘટાડો થયો હોવા છતાં, દિલ્હીમાં આ દસ દિવસ દરમિયાન પેટ્રોલ માત્ર એક રૂપિયા અને ડીઝલ માત્ર ૮૨ પૈસા સસ્તું થયું છે. બે દિવસ પહેલા જ ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવને સામાન્ય માનવીની પહોંચની બહાર જવા દેવામાં આવશે નહીં અને આ માટે સરકાર લાંબા ગાળાનો ઉકેલ શોધી રહી છે.

વૈશ્વિક સ્તરે જોવા મળેલી રાજકીય અસ્થિરતાના કારણે ગયા મહિનામાં સળંગ પંદર દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેટનું પ્રમાણ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. તમામ મેટ્રો શહેરોની સરખામણીમાં દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું છે કારણકે ત્યાં વેટનું પ્રમાણ અન્યની સરખામણીમાં ઓછું છે.

Read the Next Article

મહારાષ્ટ્ર સરકારે પંઢરપુર જતા યાત્રાળુઓ માટે ટોલ ટેક્સ માફ કર્યા

અષાઢી એકાદશીએ પંઢરપુર જતાં યાત્રાળુઓ એટલે વારકરી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી કર્યો હોવાની જાહેરાત કરી છે. આ નિયમ માત્ર અષાઢી એકાદશીના ૨૦૨૫ની યાત્રા પૂરતો લાગુ છે.

New Update
pandharpur

અષાઢી એકાદશીએ પંઢરપુર જતાં યાત્રાળુઓ એટલે વારકરી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી કર્યો હોવાની જાહેરાત કરી છે. આ નિયમ માત્ર અષાઢી એકાદશીના ૨૦૨૫ની યાત્રા પૂરતો લાગુ છે.

પંઢરપુરની યાત્રા દરમિયાન ૧૮ જૂન (આવતીકાલ)થી ૧૦ જુલાઇ ૨૦૨૫ સુધીના સમયમાં દર્શને જતા અને પાલખી લઇ જતા વારકરીના વાહનો માટે ટોલ ફ્રી લાગુ કરાયો છે.

આ વાહનો પર અષાઢી એકાદશી ૨૦૨૫ એવું લખેલું સ્ટીકર ફરજિયાત છે. જેના પર વાહનનો નંબર અને ડ્રાઇવરનું નામ હોવું જરૃરી છે.

આ સ્ટીકર્સ સ્થાનિક પોલીસ સ્ટેશન અને પ્રાદેશિક પરિવહન કચેરી (આર.ટી.ઓ) દ્વારા વિતરિત કરાય છે. આ સ્ટીકર વારકરી યાત્રા કરીને પાછા ફરતાં ઉપરોક્ત સમય મર્યાદામાં પ્રવાસમાં ટોલ ફ્રી રહેશે.

સાર્વજનિક બાંધકામ વિભાગ પી ડબલ્યુ ડી અને મહારાષ્ટ્ર રાજ્ય રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમ.એસ.આર.ડી.સી) અને રાષ્ટ્રીય મહામાર્ગ દ્વારા ચાલવવા જનારા સર્વ ટોલ પ્લાઝા પર સવલત લાગુ  પડશે.

સરકારે અષાઢી વારકરી દરમિયાન દર્શનાર્થીઓની સુવિધા મળે અને યાત્રા સરળ અને એવા ઉદેશ્યથી નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવ્યું છે.

Latest Stories