બનાસકાંઠા : અંબાજીમાં અકસ્માતના કલાકો પહેલા ડ્રાયવરે બનાવ્યો હતો વીડીયો

New Update
બનાસકાંઠા : અંબાજીમાં અકસ્માતના કલાકો પહેલા ડ્રાયવરે બનાવ્યો હતો વીડીયો

અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે લકઝરી બસ પલટી મારી જતાં આણંદ જિલ્લાના 21થી વધુ લોકોના મોત થયાં છે જયારે 50થી વધારે ઘાયલ થયાં છે. હાલમાં લકઝરી બસના ડ્રાયવરનો વીડીયો વાઇરલ થઇ રહયો છે. જો કે આ વિડીયો અકસ્માતના કલાકો પહેલા બનાવાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

Advertisment W3.CSS

અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતે સૌના કાળજા કંપાવી દીધાં છે. અકસ્માતના બે દિવસ બાદ લકઝરી બસના ડ્રાયવર મુનીર વોરાનો એક વીડીયો વાઇરલ થયો છે. જેમાં તે બસનું ડ્રાઇવીંગ કરતી વેળા વીડીયો બનાવી રહયો છે. આ વીડીયો લેવા જતાં અકસ્માત થયો હોવાની વાતો વહેતી થઇ છે પણ પોલીસે આ બાબતે રદિયો આપ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાયવરે આ વીડીયો હિમંતનગરથી ખેડબ્રહમા જતી વેળા બનાવ્યો હતો અને અકસ્માત અંબાજીથી પરત ફરતી વેળા થયો હતો. અંબાજીથી પરત આવતી વેળા ઢાળ ઉતરતી વેળા બસની બ્રેક ફેઇલ થઇ જતાં તેણે બસને રોકવા માટે પથ્થર સાથે અથાડવાનો પ્રયાસ કર્યો હતો પણ બસ રેલીંગ સાથે ટકરાઇને પલટી માારી હોવાની કેફિયત ડ્રાયવરે રજૂ કરી છે. ડ્રાયવર ઇજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ છે.

Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment W3.CSS

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Latest Stories