ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

New Update
ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લેતાં દોડધામ મચી ગઇ હતી. આખરે માનવતાના ધોરણે કામગીરી ચાલુ રાખવાનું સ્વયંસેવકોએ નકકી કરતાં ભરૂચના માથેથી મોટી ઘાત ટળી ગઇ છે

ભરૂચમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા તરફ ખાસ સ્મશાન બનાવવામાં આવ્યું છે. સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી છેલ્લા બે મહિના ઉપરાંતથી કરી રહી છે. જિલ્લામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધી હોવાથી આ ટીમની કામગીરી વધી છે. ધર્મેશ સોલંકીએ વહીવટીતંત્ર પાસે વેતન વધારવા તથા સ્મશાન ખાતે સુવિધાઓ વધારવાની માંગણી કરી હતી પરંતુ માંગણીઓ સંદર્ભમાં કોઇ ધ્યાન નહિ અપાતાં તેમણે શુક્રવારથી કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આવો સાંભળીએ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ ગુરૂવારે રાત્રિના સમયે શું કહયું હતું..

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,800ને પાર કરી ચુકી છે અને રોજના સરેરાશ 2 લોકોના મૃત્યું થઇ રહયાં છે. આ તમામ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ખાસ સ્મશાન ખાતે લાવવામાં આવે છે. જો મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી બંધ થઇ જાય તો શહેરમાં મૃતદેહોના ખડકલા લાગી જાય તેવી સંભાવના ઉભી થઇ હતી. કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે અન્ય સ્મશાનગૃહ સંચાલકો તૈયાર નથી તેવામાં ધર્મેશ સોલંકીએ માનવતાના ધોરણે અંતિમ સંસ્કારની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમના નિર્ણય બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પણ ધર્મેશ સોલંકીએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

Read the Next Article

રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ

New Update
yellq

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.