સુરેન્દ્રનગર : પાટડી ચાર રસ્તા પાસે ગાંધીજીની પ્રતિમાના ખસ્તાહાલ, તંત્ર બેદરકાર

સુરેન્દ્રનગર :  પાટડી ચાર રસ્તા પાસે ગાંધીજીની પ્રતિમાના ખસ્તાહાલ, તંત્ર બેદરકાર
New Update

આવતીકાલે શુક્રવારના રોજ વિશ્વભરમાં ગાંધીજયંતિની ઉજવણી કરવામાં આવશે ત્યારે સુરેન્દ્રનગરના પાટડી ચાર રસ્તા પાસે મુકવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાના ખસ્તા હાલ જોવા મળી રહયાં છે.

મહાત્મા ગાંધીજી માત્ર ભારતમાં જ નહિ વિશ્વભરમાં નામના ધરાવે છે અને વિશ્વમાં અનેક સ્થળોએ તેમની પ્રતિમા અથવા બાવલાઓની સ્થાપના કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પાટડી ચાર રસ્તા પાસે પણ મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી. તંત્રની બેદરકારીના કારણે પ્રતિમાની દુર્દશા થઇ ચુકી છે. આવતીકાલે શુક્રવારના રોજ ગાંધી જયંતિ આવી રહી છે ત્યારે દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રતિમા તથા સર્કલનું રીનોવેશન કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

#Gandhi Jayanti #Surendranagar #Connect Gujarat #Beyond Just News #Surendranagar News
Here are a few more articles:
Read the Next Article