Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પતંજલિની શોપ માંથી રૂપિયા 3.38 લાખની માલમત્તાની સાફસૂફી કરતા તસ્કરો

અંકલેશ્વર પતંજલિની શોપ માંથી રૂપિયા 3.38 લાખની માલમત્તાની સાફસૂફી કરતા તસ્કરો
X

અંકલેશ્વર ONGC કોલોની નજીક આવેલ આરવ એવન્યુમાં પતંજલિની શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી, અને રૂપિયા 3.38 લાખની માલમત્તાની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર ONGC કોલોની સામે આવેલ આરવ એવન્યુમાં ભરૂચ ઋષિકેશ સોસાયટીમાં રહેતા બ્રિનદેશ રાવલ એમ પી એન્ટરપ્રાઇઝનાં નામ થી પતંજલિની પ્રોડક્ટનો હોલ સેલનો વેપાર કરે છે.

શનિવારની રાત્રે તેઓનું પતંજલિ પ્રોડક્ટનું ગોડાઉન બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ, અને ગોડાઉનનું શટર તોડીને તસ્કરો પતંજલિની ફૂડ અને નોન ફૂડ વસ્તુઓનો જથ્થો તેમજ બે કોમ્પ્યુટર સેટ મળીને કુલ રૂપિયા 3.38 લાખનાં સામાનની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

વધુમાં શાતિર તસ્કરો દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરીને સાથે લઇ ગયા હતા, તેથી સીસીટીવીનાં ફૂટેજ પણ પોલીસ મેળવી શકી નહોતી.

ઘટના અંગે બ્રિનદેશ રાવલને જાણ થતા તેઓએ શહેર પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.

શહેર પોલીસે તેઓની ફરિયાદને આધારે તસ્કરોને ઝડપી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. અને તસ્કરોનું પગેરું મેળવવા માટે એફએસસેલ તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી હતી.

Next Story