અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા નિઃશુલ્ક સ્વાઈન ફલૂ ઉકાળાનું વિતરણ કરાયુ
BY Connect Gujarat27 Aug 2017 10:04 AM GMT
X
Connect Gujarat27 Aug 2017 10:04 AM GMT
અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા જીલ્લા આરોગ્ય વિભાગ સંચાલિત આયુર્વેદિક દવાખાના જુના દિવાનાં સહયોગ થી મેડીકલ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા સ્વાઇન ફ્લુ ઉકાળોનું વિતરણ મોઢેશ્વરી ભવન મોઢ ઘાંચી સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતુ.
જેનો લાભ શહેરીજનોએ મોટી સંખ્યામાં લીધો હતો. આ પ્રસંગે સમાજનાં પ્રમુખ ચેતનભાઇ ગોળવાલા એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસ થી સ્વાઇન ફ્લુનો રોગ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો છે,અને સામાજિક જવાબદારીનાં ભાગ રૂપે મોઢ ઘાંચી સમાજ અંકલેશ્વર દ્વારા જીલ્લા આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક દવાખાના જુના દિવાનાં સહયોગ થી આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા સ્વાઇન ફ્લુ ઉકાળોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.જેનો મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.
Next Story