Connect Gujarat
Featured

અંકલેશ્વર : શ્રમજીવી પરિવાર ઊંઘતો રહયો અને ચાર વર્ષીય બાળકીનું થયું અપહરણ

અંકલેશ્વર : શ્રમજીવી પરિવાર ઊંઘતો રહયો અને ચાર વર્ષીય બાળકીનું થયું અપહરણ
X

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક દુકાનના ઓટલા પર સુઇ રહેલાં શ્રમજીવી પરિવારની ચાર વર્ષીય બાળકીના અપહરણની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકની દુુકાન ખાતે લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં ગુનાખોરીનું પ્રમાણ પણ એટલું છે. ખાસ કરીને ગરીબ અને શ્રમજીવી પરિવારો ગુનાખોરીનો સૌથી વધારે ભોગ બની રહયાં છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં ઓટલા પર એક શ્રમજીવી પરિવાર સુઇ રહયું હતું. પરિવાર મીઠી નીંદર માણી રહયું હતું ત્યારે એક અજાણ્યો ઇસમ આવી ત્યાં સુતેલી ચાર વર્ષીય બાળકીને ઉઠાવીને ફરાર થઇ ગયો હતો. આખી ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. હાલ તો પરિવારના સભ્યો તથા પોલીસ બાળકીની શોધખોળ કરી રહયું છે. બાળકી સાથે કઇ અઘટીત ઘટના તો નથી બની ને તેની ચિંતા પરિવારને સતાવી રહી છે. બાળકીના અપહરણનું કારણ હજી અકબંધ રહયું છે. પોલીસ પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસમાં જોતરાઇ છે.

Next Story