અમદાવાદ: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન ન આપી લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેતાં હોબાળો

New Update
અમદાવાદ: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન ન આપી લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેતાં હોબાળો

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તાર સ્થિત જય સોમનાથ શાળામાં વિદ્યાર્થીઓના બી’ ગ્રેડ મળવાથી તેમને એડમિશન નહીં આપી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેતાં વાલીઓ રોષે ભરાયા હતા. સ્કુલની બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં પ્રવેશની ભીખ માંગી શાળા પ્રવેશની માંગ કરી હતી.

જય સોમનાથ શાળાના ટ્ર્સ્ટીઓએ હોબાળા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ વખતે ધોરણ ૧૧માં સાયન્સના બદલે કોમર્સનો વધુ ટ્રેન્ડ છે. ૧૧ કોમર્સની ૧૩૨ બેઠકો ભરાઈ ગઈ હોવાથી જ વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે માટે તેમને પ્રવેશ અપાયો ન હોવાનું કહ્યું હતું. જો કે શાળા ચાલુ થતાની સાથે શિક્ષણ વિભાગ દ્વારા ઘડવામાં આવેલા નિયમોને નેવે મૂકવામાં આવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે.

Latest Stories