અરગામાની નેરોલેક કંપનીમાંથી 6 લાખની પાઇપ ચોરીમાં બે ઝડપાયા

New Update
અરગામાની નેરોલેક કંપનીમાંથી  6 લાખની પાઇપ ચોરીમાં બે ઝડપાયા

વાગરાનાં અરગામા કેમીકલ એસ્ટેટ ખાતે આવેલ નેરોલેક કંપની માંથી 6 લાખ રૂપિયાની 125 નંગ પાઇપ ચોરીની ઘટના બની હતી. વાગરા પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે.

વાગરા તાલુકાનાં અરગામા ગામની હદમાં નેરોલેક કંપનીનું બાંધકામ કાર્ય પ્રગતિમાં ચાલી રહયુ છે. કેમીકલ ઝોનમાં બનતી કંપનીનાં નિર્માણ કાર્યમાં જુદાજુદા કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. નેરોલેક કંપનીનાં કેમ્પસમાં આવેલ ગોલ્ડન એન્જીનિયરિંગ ફિલ્ડના કંપાઉન્ડ માંથી ગત જૂન માસ દરમિયાન ચોરોએ છ લાખ રૂપિયાની અલગ અલગ સાઈઝની એસ.એસની 125 નંગ પાઇપો ચોરીને ફરાર થઈ ગયા હતા. જે અંગેની વાગરા પોલીસ મથકે બાલમુર્ગન કાલીદાસ કામચી રહે. ભંગાર કોલોની, બાયપાસ પાસે ભરૂચ,મૂળ રહે તમિલનાડુ નાઓએ ફરિયાદ નોંધાવી હતી.

તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ વાગરા પોલીસે નેરોલેક કંપનીની પાઇપ ચોરીમાં બે તસ્કરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ ચોરીમાં સંડોવાયેલ ઉત્તર પ્રદેશનો પરપ્રાંતીય ઈસમ હજી ફરાર છે. ચોરીમાં ઝડપાયેલા બે યુવકો પૈકી શબ્બીર મુહંમદ ગુલામ મલેક જંબુસર તાલુકાના દહેગામ ગામનો વતની છે.જે અગાઉ પણ વિલાયત જી.આઈ.ડી.સી માંથી થયેલ ભંગાર ચોરીમાં પણ તેનું નામ ખુલ્યુ હતુ.જયારે અન્ય ઈસમ ઇનાયત ઇકબાલ પટેલ ભરૂચ તાલુકાના કંથારીયા ગામની નેશનલ પાર્ક સોસાયટીનો રહીશ હોવાનુ બહાર આવ્યુ છે.

ચોરીમાં ઝડપાયેલા યુવકો બાંધકામ ચાલતુ હોય તેની નવી કંપનીઓને ટાર્ગેટ બનાવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.ચોરીમાં વપરાયેલ મારુતિ વાન પર પ્રેસ તેમજ ભારતીય જનતા પક્ષના પ્રતીક કમળનું સિમ્બોલ ચીતરાવેલું હતુ આમ ચોરીને અંજામ આપનાર ઈસમો મીડિયા તેમજ રાજકીય પ્રતીકોનું સુપેરે દુરુપયોગ કરી પોતાના કરતૂતોને પાર પાડતા હોવાની ગંભીર બાબત સામે આવી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.