Connect Gujarat
ગુજરાત

આજે ૨૩ ડિસેમ્બર: સમગ્ર ભારતમાં ઉજવાશે કિસાન દિવસ

આજે ૨૩ ડિસેમ્બર: સમગ્ર ભારતમાં ઉજવાશે કિસાન દિવસ
X

એક સમય હતો, જ્યારે આપણા દેશમાં ખેતીની જ સૌથી ઉત્તમ કાર્ય માનવામાં આવતું હતું. મહાકવિ ધાધની એક પ્રસિદ્ધ કહેવત પણ છે. ઉત્તમ ખેતી, મધ્યમ બાન... નિષિદ્ધ ચાકરી, ભીખ નિદાન... એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર મધ્યમ, નોકરી નિષિદ્ધ અને ભીખ માંગવુ સૌથી ખરાબ કાર્ય છે.

પરંતુ આજે દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો આજીવિકા માટે ખેતી સૌથી સારું કાર્ય નથી રહ્યું. દરેક દિવસે દેશમાં લગભગ 2000 ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને અનેક ખેડૂતો એવા છે જે ખેતી છોડી દેવા માંગે છે. દેશના ખેડૂતોને રસ્તા પર આંદોલન કરવા ઉતરવું પડી રહ્યું છે.

દેશના અનેક ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા જેવું પગલુ ભરવા મજબૂર બની રહ્યાં છે. ૨૩ ડિસેમ્બરને સમગ્ર ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિન પર કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ જેમના માટે ઉજવાય છે, તેમની દેશમાં કેવી દુર્દશા છે અને તેની સામે કેવી રીતે લડી શકાય તે જાણીએ.

દેશના ગ્રામીણ ક્ષેત્રોની લગભગ ૫૮ ટકા આબા ખેતી પર નિર્ભર છે. દેશમાં સતત થઈ રહેલા આંદોલન એક ગંભીર સંકટ તરફ ઈશારા કરી રહ્યાં છે. જાટ, મરાઠા, પાટીદાર જેવી કૃષિ આધારિત મજબૂત ગણાતી જાતિઓના જાતિગત આરક્ષણના આંદોલનના મૂળ પણ ક્યાંકને ક્યાંક ખેતી ક્ષેત્રમાં આવેલ સંકટને સંબંધિત જ છે. ગત કેટલાક વર્ષોથી ગ્રામીણ ક્ષેત્રોમાં ખેતીની હાલની પરિસ્થિતિને લઈને એક ખતરનાક આક્રોશ પેદા થયો છે. જો સમય રહેતા તેનું સમાધાન ન આવ્યું, તો દેશ એક ભયંકર આંદોલનની ઝપેટમાં આવી શકે છે.

આખરે શું કારણ છે, જેનાતી ખેડૂતની પરિસ્થિતિ ચક્રવ્યૂમાં ફસાયેલા અભિમન્યુની જેમ બની ગઈ છે. ક્યારેક તેઓ રસ્તા પર મહેનતથી ઉભો કરેલો પાક ફેંક છો, તો ક્યારેક ડુંગળી ફેંકવા મજબૂર બની ગયા છે. તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં પણ ખેડૂતોનો મુદ્દો મૂળ રહ્યો હતો. ત્યારે ખેડૂતોની વ્યાજમુક્તિની માંગોએ જોર પકડી હતી.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી સાત રાજ્યોએ અંદાજે ૧ લાખ ૮૨ હજાર ૮૦૨ કરોડ સુધીની વ્યાજમુક્તિની જાહેરાત કરી છે. આવામાં એક્સપર્ટસનું માનવું છે કે, આ પરિસ્થિતિમાં દૂર કરવા વ્યાજમુક્તિનો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે.

આરબીઆઈએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે, વ્યાજમુક્તિ સરકારને ફાઈનાન્શિયલ અનુશાસનના સંકલ્પથી વિચલિત કરી શકે છે. તો કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, વ્યાજમુક્તિ ગ્રામીણ સમસ્યાને દૂર કરવાનો સૌથી ખરાબ રસ્તો છે. તેઓ માને છે કે, વ્યાજમુક્તિને બદલે ખેડૂતોની આવક વધારવા પર જોર આપવું જોઈએ.

Next Story