કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું મોટું નિવેદન

New Update
કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું મોટું નિવેદન

23 મે પછી નરેન્દ્ર મોદીનાં નામ પાછળ પૂર્વ વડાપ્રધાન લાગશે

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે 23 મે પછી નરેન્દ્ર મોદીનાં નામ પાછળ પૂર્વ વડાપ્રધાન લાગશે. આ સાથે જ તેમને ગુજરાતમાં કોંગ્રેસ ને 12થી 15 બેઠકોની જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જગદીશ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા આપવા વડોદરા આવેલા રાષ્ટ્રીય કૉંગ્રેસનાં ખજાનચી અને સોનિયા ગાંધીનાં પૂર્વ સલાહકાર અહેમદ પટેલે દેશમાં કૉંગ્રેસની સરકાર બનવાની વાત કહી જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશની પ્રજા ને હેરાન તેમજ ગુમરાહ કરી રહી છે. જેથી આ વખતે કોંગ્રેસની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી 23 મેનાં ચૂંટણી પરિણામો પછી પૂર્વ વડાપ્રધાન કહેવાશે.

કૉંગ્રેસને આંતકવાદ સાથે સરખાવનાર ભાજપને જવાબ આપતા અહેમદ પટેલે કહ્યું કે, "ઇતિહાસ ગવાહ છે અને ગાંધીજીથી માંડીને રાજીવ ગાંધી આંતકવાદ સામે લડીને તેનો ભોગ બન્યા છે. ભાજપ ખુરશી બચાવા આતંકવાદ ને રાષ્ટ્રવાદનો સહારો લઈ રહી છે.દેશમાંથી ગરીબી દૂર કરવા માટે પોતાનાં મેનિફેસ્ટોમાં ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા આપવાનો વાયદો કરનાર કોંગ્રેસનો ભાજપા મજાક ઉડાવી રહી છે. ત્યારે અહેમદ પટેલે કહ્યું કે, ભાજપને માત્ર મજાક ઉડાવતાં આવડે છે. જ્યારે કોંગ્રેસ જે વાયદા કરે છે પૂરા કરીને બતાવે છે.અહેમદ પટેલે ગુજરાતમાં કોંગ્રેસને 12થી 15 બેઠકો પર જીત મળવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.