Connect Gujarat
ગુજરાત

ગોધરા : રીંગોળ ગામે ચાર વર્ષીય બાળકીનું એસ.ટી બસની ટક્કરે મોત

ગોધરા : રીંગોળ ગામે ચાર વર્ષીય બાળકીનું એસ.ટી બસની ટક્કરે મોત
X

દાહોદના ગોધરા જવાના માર્ગ ઉપર તાલુકા પોલિસની હદમાં ગોધરા રોડ વિસ્તારમાં મધ્યપ્રદેશનો પરિવાર પોતાની નાનીના ઘરે રહેવા આવી હતી અને ચાર વર્ષીય બાળકી મોતને ભેટી હતી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

ત્યારે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રીંગોળ ગામે રેહતા અને હાલ દાહોદમાં પોતાની નાનીને ત્યાં આવ્યા હતા. ચાર વર્ષીય બાળકી અંજલિ દિનેશ બામણીયા રોડની સામેના ભાગે કશું વસ્તુ લેવા માટે ગઈ હતી. અને અચાનક બસ સાથે ટકરાઈને મોતને ભેટી હતી. દાહોદથી ગોધરા અને જાંબુઆ જતી GJ 18 Z 1687 નંબરની એસ.ટી.બસ દાહોદના બસ ડેપો માંથી નીકળી જાંબુઆ તરફ જઈ રહી હતી. તે સમયે દાહોદના ગોધરા રોડ ઉપર કેન્દ્રિય વિધ્યાલયની સામેના ભાગમાં એક નાની બાળકી રોડ ક્રોશ કરી રહી હતી.

સમયે સામેથી આવતી એસ.ટી બસના આગળના ભાગે ટકરાયને પાછળના વ્હીલમાં આવી ગઈ હતી. જેથી બાળકીના પાછળના ભાગે એસ.ટી બસનું ટાયર ફરી વળતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોચ્તા ખાનગી ઓટો રિક્ષામાં બાળકીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જેથી ઝાયડસ હોસ્પિટલના હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરતાં પરિવારમાં આભ ફાટી નીકળ્યો હતો. અને બસનો ડ્રાઈવર પબ્લિકના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. પોલિસને જાણ કરતા તાલુકા પોલિસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી અને ડ્રાઇવરને જેલના સળિયા પાછળ ધકેલી એસ.ટી. બસને કબ્જે કરી હતી. તેમજ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોચી બાળકીના મૃતદેહનો કબ્જો મેળવી પંચનામું કરી પી.એમ.અર્થે મોકલી આપી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story