જંબુસર: માલપોર ગામે મીઠા ઉદ્યોગની જમીનમાં શરૂ થયેલ કેમિકલ કંપની સામે ગ્રામજનોનો વિરોધ,આપ્યું આવેદન

New Update
જંબુસર: માલપોર ગામે મીઠા ઉદ્યોગની જમીનમાં શરૂ થયેલ કેમિકલ કંપની સામે ગ્રામજનોનો વિરોધ,આપ્યું આવેદન

જંબુસરના માલપોર ગામે મીઠા ઉદ્યોગ માટે ફાળવાયેલ

જમીનનો પટ્ટા ઉપર કેમીકલ કંપની કાર્યાંવીત કરાતા ગ્રામજનોએ તેને તત્કાલ બંધ કરવાની

માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવા સાથે જો દિન ૧૦માં આ કેમિકલ કંપની

બંધ નહીં કરાવાય તો ગ્રામજનો ગાંધિ ચિંધ્યા માર્ગે આંદેલન કરશેની ચિમકી પણ ઉચ્ચારી

હતી.

publive-image

આવેદનમાં ગ્રામજનો દ્વારા ઉલ્લેખાયા મુજબ જંબુસર

તાલુકાના માલપોર ગામે બ્લોક નંબર/સર્વે નંબર ૫૫૬ પૌકી ૧૫૮૪ હેકટર ૭૮ આર.એ.૭૨

ચો.મી.થી ખાર ખરાબાની જમીન આવેલી છે.આ જમીનમાં સરકાર દ્વારા જુદા જુદા ઇસમોને મીઠા

ઉદ્યોગ માટે ભાડા પટ્ટે જમીન આપેલ છે.તે મુજબ જંબુસર તાલુકાના ભડકોદ્રા ગામના રહીશ

ઇલ્યાસ અલી પટેલને ૧૦ વર્ષના ભાડા પટ્ટે ૨૦૦ એકર જમીન મીઠા ઉદ્યોગ માટે ફાળવવામાં

આવી હતી અને તે પટાની નીયત સમય મર્યાદા ૨૦૦૬માં પુરી થઇ હતી. તે રીન્યુ પણ થયેલ

નથી અને આ જમીનમાં બ્રોમીન નામનું કેમીક્લ વગ્ર પરવાંગીએ બનાવવામાં આવી રહ્યું

છે.જે ગેરકાયદેસર છે.આ અંગેની તાત્કાલિક તપાસ થાય તેમજ બોગસ દસ્તાવેજો કરી આવું

ગેરકાયદેસર કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને આ ગેરકાયદેસર ચાલતી કેમીક્લ

કંપની તાત્કાલિક બંધ કરાવાય તેવો હુકમ કરવાની ભરૂચ કલેકટર પાસે ગ્રામજનો દ્વારા

માંગ કરવામાં આવી હતી.સાથે સાથે જો ૧૦ દિવસમાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં

કરાય તો ગ્રામજનો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાના પગલા ભરશેની ચિમકી પણ ઉચારાઇ

હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories