ડુંગળી જ નહીં, પેટ્રોલ પણ રેકોર્ડ તોડ સપાટીએ, દિલ્હીમાં લિટર દીઠ 75 રૂપિયા

New Update
ડુંગળી જ નહીં, પેટ્રોલ પણ રેકોર્ડ તોડ સપાટીએ, દિલ્હીમાં લિટર દીઠ 75 રૂપિયા

દિલ્હીમાં પેટ્રોલ

75 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે અને ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું

છે.  આ પહેલા 24 નવેમ્બર 2018 ના રોજ દિલ્હીમાં પેટ્રોલ

75.25 રૂપિયા પ્રતિ લિટર હતું.

દેશની રાજધાની

દિલ્હીમાં પેટ્રોલ 75 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે અને ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ

લિટર વેચાઈ રહ્યું છે.  પેટ્રોલનો ભાવ લગભગ એક વર્ષના ઉચ્ચ સ્તરે ગયો છે. 

આ પહેલા 24 નવેમ્બર 2018 ના રોજ દિલ્હીમાં પેટ્રોલ 75.25 રૂપિયા

પ્રતિ લિટર હતું.

કેટલો વધારો

નોંધનીય છે કે

સોમવારે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ પૈસાનો વધારો થયો

હતો અને દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં ડીઝલના ભાવમાં 10 પૈસાનો વધારો થયો હતો, જ્યારે ચેન્નઇમાં 11

પૈસા વધ્યા હતા.

ઈન્ડિયન ઓઇલની

વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશ: 75 રૂપિયા, 77.67 રૂપિયા, 80.65 રૂપિયા અને 77.97 રૂપિયા

પ્રતિ લિટર થઈ ગયો છે.

ચાર મહાનગરોમાં

ડીઝલનો ભાવ પણ વધીને ક્રમશ: 66.04 રૂપિયા, 68.45 રૂપિયા, 69.27 રૂપિયા અને 69.81 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.

કેમ ભાવ વધારો

ન્યૂઝ એજન્સી

આઈએએનએસ અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો સિલસિલો ફરી શરૂ થયો છે. ઓઇલ માર્કેટિંગ

કંપનીઓએ સતત બે દિવસમાં પેટ્રોલનો ભાવ દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇમાં 14 પૈસા જ્યારે કોલકાતામાં 13 પૈસા પ્રતિ લિટર વધારી દીધો છે.

 જ્યારે સતત ત્રણ દિવસથી દિલ્હી અને કોલકાતામાં

ડીઝલ 26 પૈસા, મુંબઇમાં 27 પૈસા અને ચેન્નાઇમાં 28 પૈસા પ્રતિ લિટરમાં વધારો ઝીંકાયો છે.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.