![દાહોદ: પત્નીના આડા સબંધોથી કંટાળી પતિએ જ કરી ચપ્પુના ૩૩ ઘા મારી હત્યા](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-430.jpg)
દાહોદ શહેરના પીંજારવાડ વિસ્તારમાં યશ માર્કેટ સ્થિત રહેતા અકરમ છીપા પોતાની પત્નીના અન્ય યુવક સાથેના પ્રેમ પ્રકરણ અને પત્ની તરફથી મોબાઈલ સોનાના દાગીના સહિતની માંગણીઓથી કંટાળીને પત્નીને મોડી રાત્રે સરપ્રાઈઝ આપવાનું કહીને ધાબા ઉપર લઈ ગયા બાદ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી.
અકરમ છીપાના લગ્ન પાંચેક વર્ષ પહેલા હિના સાથે થયા હતા અને લગ્ન પછી બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતાં હતા. જેને લઈને હિના મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પોતાની માતા પાસે ત્રણ બાળકોને લઈને રહેતી હતી. જ્યારે અકરમએ પત્ની હિનાને દાહોદમાં પોતાની સાથે રહેવાનું કહેવા છતાં તે દાહોદમાં રહેવા તૈયાર નહોતી. ગતરોજ મરણ પ્રસંગની વિધિમાં પોતાની પત્ની સાસુ અને સાળી આવ્યા હતા જ્યારે અકરમે આજે સરપ્રાઈઝ આપીશ તેવું કહી એપાર્ટમેન્ટની છત ઉપર લઈ જઈ ચપ્પુના ઘા ઝીંકિ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
અકરમ હત્યા કર્યા બાદ મૃતદેહને ધાબા ઉપર જ મૂકીને નીચે આવ્યો ત્યારે તેની સાસુને બિન્દાસ્ત પણે કહ્યું કે તેણે હિનાને મારી નાખી છે. જેથી તાત્કાલિક મૃતકની માતા અને બહેન ઉપર દોડી ગયા હતા અને બુમરાણ મચાવતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની પોલીસને જાણ કરતાં દાહોદ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોચી આરોપી અકરમની ધરપકડ કરી મૃતદેહને પોર્સ્ટમોર્ટમ માટે મોકલી, હત્યારા અકરમ વિરુધ્ધ હત્યાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.