ધાનેરા : 100 કિલો વજન અને 751 દીવાઓની આરતી ધાનેરાવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

New Update
ધાનેરા : 100 કિલો વજન અને 751 દીવાઓની આરતી ધાનેરાવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

ધાનેરામાં મહેશ્વરી સમાજના મહારુદ્ર યજ્ઞમાં 751 દીવાઓની આરતી ઉતારવામાં આવી હતી 100 કિલો વજન વાળા ગોળ રાઉન્ડના મુકવામાં આવેલા દિવડાઓએ આકર્ષણ જમાવ્યું હતું.

સાથેજ વિષ્ણુ ભગવાનના શેષનાગના અવતારમાં આરતી ઉતારવામાં આવી હતી. ધાનેરામાં પહેલી વખત આ પ્રકારની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શેષનાગના ઉપરના ભાગ સુધી દિવડાઓની ઝગમગાટના ભક્તિના પ્રકાશમાં સૌએ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Latest Stories