ધો.10નું પરિણામ આવે તે પહેલાં જ રાજકોટમાં વિદ્યાર્થીનો આપઘાત

New Update
ધો.10નું પરિણામ આવે તે પહેલાં જ રાજકોટમાં વિદ્યાર્થીનો આપઘાત

આગામી 28મી તારીખે ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે. તે પહેલાં જ પરિણામનું શું થશે તેની ચિંતામાં રાજકોટમાં એક વિદ્યાર્થીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. દર વર્ષે નાપાસ થવાનો ડર કે પછી ઓછી ટકારવારીના ડરને લઇને આવા બનાવો બનતા રહે છે.

Advertisment

રાજકોટ શહેરના મોટામવા ગામે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો જય અરવિંદભાઇ નળિયાપરાએ હોસ્ટેલમાં મિત્રોને મળવા જવાનું કહી ઝેરી દવા પી લીધી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતા અરવિંદભાઇ મજૂરી કામ કરે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેસેડવામા આવ્યો છે. પરિણામની ચિંતા જ મોતનું કારણ છે કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્ટેલમા દવા પી લીધી હોવાનુ જાણવા મળી રહ્યું છે, હોસ્ટેલમાં મિત્રને મળવા ગયો અને દવા પી લીધી હતી.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.