/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170912-WA0034.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પાનોલી પાસે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઈક સવાર સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત નિપજ્યુ હતુ.
જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ ખાતે રહેતા સમીરકુમાર હરિકિશોર ઝા ઉ.વ.30ના ઓ પાનોલીની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, તારીખ 12મીને મંગળવારનાં રોજ તેઓ ને.હા.નં 8 બાકરોલ ગામ નજીક પાનોલી પાસેથી પોતાની બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા,ત્યારે કોઈક અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો.
સર્જાયેલા અકસ્માતમાં સમીર કુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતુ.
અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો,ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.