બાગાયત વિભાગની સહાયથી કેળ-વેફર ઉત્પાદનમાં સ્વ-રોજગારીની સાથે આસપાસના ગામના અન્ય લોકોને પણ મળી રોજગારી

વર્ષોથી કેળ, પપૈયા, શાકભાજી જેવા બાગાયતી પાકોનું વાવેતર કરતા નર્મદા જિલ્લાનાં રાજપીપલા નજીક ધાનપોર ગામના વતની અને ૫.૫૦ હેકટર જમીન ધરાવતા પ્રગતિશીલ ખેડૂત અજીતભાઇ વિનુભાઇ પટેલે કેળ-ટીસ્યુના વાવેતર થકી તેમની ૨ હેકટર જમીનમાંથી રૂા.૨ લાખનો ખર્ચ બાદ કરીને કેળ ઉત્પાદનમાં આશરે રૂા.૨ થી ૨.૫ લાખનો ચોખ્ખો નફો મેળવતાં હતાં. પરંતુ હવે રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી મળેલી રૂા. ૧ લાખની સરકારી સહાય થકી પ્રોસેસિંગ યુનિટ મારફત વેફર બનાવી કેળ પાકમાં મૂલ્યવર્ધન કરતાં ૧ મણ કેળામાંથી ૪ કિલોગ્રામ વેફર મુજબ દૈનિક સરેરાશ ૩૦૦ કિલોગ્રામ વેફરનું ઉત્પાદન મેળવીને પ્રતિ કિલો રૂા. ૭૦/- નો ઉત્પાદન ખર્ચ બાદ કરીને તેઓ રૂા.૩૦ ના ચોખ્ખા નફા મુજબ દૈનિક ૩૦૦ કિલોગ્રામ જુદી-જુદી ફલેવરવાળા વેફરના વેચાણ થકી અંદાજે રૂા. ૭૦૦૦/- નો ચોખ્ખો નફો મેળવી રહ્યાં છે. આમ કેળ પાકના ઉત્પાદનથી માથ્ર ૨ થી ૨.૫ લાખનો નફો મેળવનાર અજીતભાઇનું તો નસીબ જ બદલાય ગયું છે અને તે માટે તેઓ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ યુનિટ દૈનિક ૫૦૦ કિલોગ્રામ વેફર ઉત્પાદનની ક્ષમતાં ધરાવે છે. આ યુનિટની ક્ષમતા મુજબ ભવિષ્યમાં મહતમ ઉત્પાદન મેળવાય તેવું આયોજન તેઓ ગોઠવી રહ્યા છે.
[gallery td_select_gallery_slide="slide" size="full" ids="103787,103788,103789,103790,103791,103792,103793"]
અજીતભાઇ પટેલ જણાવે છે કે, કેળ-ટીસ્યુના વાવેતર થકી તેમની ૨ હેકટર જમીનમાં અત્યાર સુધી અંદાજે રૂા. ૨ લાખ જેટલો ખર્ચ કરીને કેળનું ઉત્પાદન લેતાં હતા. પરંતુ તેમાંથી ૧૫ થી ૨૦ ટકા જેટલું ઉત્પાદન ઓછી ગુણવત્તાવાળુ હોવાનું જણાવીને વેપારીઓ દ્વારા તેમને કેળના વેચાણનો ભાવ ઓછો મળતો હતો. જેથી અજીતભાઇ એ તેમના આ ૧૫ થી ૨૦ ટકા જેવા કેળ પાકનો ઉપયોગ વેફર્સ બનાવવા માટે થાય તે હેતુથી નર્મદા જિલ્લા બાગાયતી વિભાગના નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. સ્મિતાબેન પિલ્લાઇ અને તેમની કચેરીના માર્ગદર્શન હેઠળ કેળ પાકમાં મૂલ્યવર્ધન માટે અને સને-૨૦૧૬-૧૭ માં વેફર બનાવવાં માટે અજીતભાઇએ પ્રોસેસિંગ યુનિટ ઉભુ કર્યું છે અને બાગાયત વિભાગ દ્વારા તેમને રૂા. ૧ લાખ જેવી માતબર રકમ પ્રોત્સાહનરૂપી સહાય ચૂકવવામાં આવી છે.
અજીતભાઇ વધુમાં કહે છે, તેમના આ વેફર બનાવટ યુનિટની કામગીરી નિહાળીને ધાનપોર ગામના જ તેમના મિત્રએ વર્ષ-૨૦૧૮-૧૯ માં આજ પ્રકારનું વેફર બનાવવાનું યુનિટ ચાલુ કર્યું છે. હાલમાં તેઓ તેમના મિત્ર સાથે મળીને પરસ્પરના સહયોગથી તેમના આ યુનિટો ચલાવી રહ્યાં છે. અજીતભાઇના જણાવ્યા મુજબ તેમનું આ યુનિટ પ્રતિદિન ૫૦૦ કિલોગ્રામ વેફરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુનિટ દ્વારા દૈનિક સરેરાશ તેઓ ૩૦૦ કિલોગ્રામ કેળ-વેફરનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ રોજબરોજ સ્થળ ઉપરથી તેમજ તહેવારો અને રજાઓના દિવસોમાં પોઇચા, કુબેર ભંડારી વગેરે જેવા પર્યટન સ્થળોના પ્રવાસીઓને વેચાણ કરવાં ઉપરાંત અમદાવાદ,સુરત, વડોદરા જેવા મહાનગરોના મોટા વેપારીઓને હોલસેલ ભાવે વેચાણ કરી રહ્યાં છે.
તદ્દઉપરાંત ગામના કેળપાક કરતાં ખેડૂતો નાના કદના કેળ કે જે વેપારીઓ સ્વીકારતા ન હતાં એ કેળા ખેડૂતો પાસેથી વેચાણથી લઇ તેમના આ યુનિટ દ્વારા જુદા-જુદા પ્રકારનાં સ્વાદનો ચેવડો બનાવી રહ્યા છે અને કેળ-છાલનો ઉપયોગ પશુધનને ખવડાવવામાં કરી રહ્યા છે. આ યુનિટથી અજીતભાઇ પોતે તો સ્વ-રોજગારી મેળવી જ રહ્યા છે, પરતું તેની સાથોસાથ આજુબાજુ ગામના યુવકો તેમજ મહિલાઓને પ્રોસેસિંગ યુનિટની કામગીરીમાં રાખીને તેઓને પણ રોજગારી પૂરી પાડી રહ્યાં છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT