મોરબી : ગેરકાયદે ગૌશાળાને બચાવવા ગૌરક્ષકે કરાવ્યુ ફાયરિંગ,LCBએ ચાર શખ્સો કરી ધરપકડ

New Update
મોરબી : ગેરકાયદે ગૌશાળાને બચાવવા ગૌરક્ષકે કરાવ્યુ ફાયરિંગ,LCBએ ચાર શખ્સો કરી ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરીગ કર્યાના ચકચારી બનાવમાં એલસીબીની તપાસમાં ખુદ ફરિયાદી કહેવાતો ગૌસેવક આરોપી નીકળતા પોલીસે ત્રણ શખ્સો સહિત ચારની ધરપકડ કરી છે.

આ ચકચારી બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો આ અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પોતાની નિરાધાર ગૌશાળા પાસે ગૌરક્ષક દિનેશભાઇ રામજીભાઈ લોરીયા ગત તા.12 ફેબ્રુઆરીએ પોતાની સફેદ કલરની સ્કોર્પિયો કારમાં બેઠા હતા,તે સમયે બે અજાણ્યા શખ્સો બાઇકમાં આવી અને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર થયો હતો, આ બનાવ બાદ ગૌરક્ષકે દિનેશ લોરિયા દ્વારા પોતાના પર જાન લેવા હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં બી ડિવિઝન અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસ કરતા જ આ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો તેથી એસ.પી કરનરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરતા ગોસેવક જ ખુદ આરોપી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને ગૌસેવકે દિનેશે પોતાની ગૌશાળાની ગેરકાયદેસર જમીન બચાવવા ખોટી ફરિયાદ કરી અને અશ્વિન પરમાર અને કચ્છ ભચાઉતાલુકા ના જસાપર ગામન શખ્સોની મદદથી આ ષડયંત્રરચ્યું હતું. કહેવાતા ગૌસેવકે આ ત્રણ શખ્સોની મદદથી ભચાઉ નજીક જ પોતાની સ્કોર્પિઓ કાર પર ફાયરીગ કરી બાદમાં પોતાની મહેન્દ્રનગર પાસેની ગૌશાળા નજીક કાર રાખીને પોતાના પર ફાયરીગ કર્યા હોવાનું જણાવીને પોલીસને ઊંધા ચશ્મા પહેરાવ્યા હતા.

આ કહેવાતા ગૌસેવક દિનેશની ની નિરાધાર ગૌશાળા નામની મહેન્દ્ર નગર પાસે જે ગૌશાળા આવેલી છે તે જમીન ગેરકાયદેસર હોય ગૌશાળાની પાછળ ટાઉનશીપ બને છે તેનો રસ્તો ગૌશાળાની જગ્યા માંથી નીકળે છે તેથી આ ગેરકાયદે રહેલી ગૌશાળા હટાવવાની હિલચાલ થતા ગૌસેવકે 15 દિવસ અગાઉ પોતાના પર હુમલો થાય તેવી પોલીસના અરજી આપી ને આ સમજી વિચારીને ષડયંત્ર રચ્યું હતું પોલીસે હાલ ગૌસેવક દિનેશ રામજી લોરીયા તેમજ ભચાઉ તાલુકાના જસાપર વાંઢ વિસ્તારના ચાર શખ્સો ઈબ્રાહીમ ઇસ્માઇલ તરાયાં, સિકંદર ઓસમાણ તરાયા, સિકંદર ઇસ્માઇલ તરાયા, અબ્દુલ ઇશમાઇલ તરાયાને 2000 રૂપિયાના દેશી તમચા સાથે ઝડપી ચોથો જે ફાયરિંગના બનાવમાં શાક્ષી તરીકે રહેલા આરોપી અશ્વિન પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જો કે આ ગૌરક્ષક દિનેશ લોરિયા અનેકે વખત ગાયના નામે રૂપિયા પાંડવવા અપહરણ સહિત અનેક ખોટી ફરિયાદો કરવા તેમજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલ છે જેમાં પોલીસે વિસ દિવસ પહેલાં મહેન્દ્રનગર ગામ નજીક થયેલા ચકચારી ફાયરિંગ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળતા તેને જેલના સળિયા પાછળ ધકેલીને દૂધનું દૂધ અને પાણી નું પાણી કરી દીધું છે આ સાથે જ પોતાના અંગત સ્વાર્થ માટે ખોટી ફરિયાદ કરનારા લોકો માટે આ કિસ્સો લાલબતી સમાન છે.

ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા અને મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વાલાભાઈ ઠાકોરના પુત્રને પૈસાની બાબતે ગામમાં જ રહેતા વાલાભાઈ ઠાકોર અને તેમના પુત્ર ભેગા મળી માર મારતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જ્યા બાળકની માતાએ ગામમાં રહેતા વાલાભાઈ ઠાકોર અને તેમના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.

ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા વાલાભાઈ ઠાકોરના પુત્ર વરધા જે ગામમાં સાઇકલ લઈ ને જતો હતો તે દરમ્યાન પોતાના ખેતર ની બાજુમાં રહેતા વાલાભાઈ ઠાકોરે વરધા પાસે પૈસા ની માંગણી કરી હતી. જ્યાં વરધાએ પૈસા આપવાની ના પાડતા વાલાભાઈએ તેને પકડીને માર મારવાનું ચાલુ કર્યું હતું. જે જોતા વાલાભાઈ ના પુત્ર ભાવેશ અને વિક્રમે પણ પટ્ટા વડે માર મારવાનું ચાલુ કર્યું હતું.જે બાદ વરધા વાલાભાઈ અને તેમના પુત્ર ના ચૂંગલ માંથી છૂટી અને આ તમામ બાબતે તેની માતા ને જણાવી હતી જ્યાં વરધા ની માતા રમીલાબેન ઠાકોર પોતાના પુત્ર ને માર મારના પિતા અને પુત્ર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.