રાજકોટ : ટ્રાફિકના નિયમોની સમજ આપતાં ટેટુની વધી રહી છે બોલબાલા

New Update
રાજકોટ : ટ્રાફિકના નિયમોની સમજ આપતાં ટેટુની વધી રહી છે બોલબાલા

ગણેશ મહોત્સવ અને નવરાત્રીને વિવિધ સામાજીક મુદાઓ સાથે સાંકળી લેવાની પરંપરા ચાલી આવે છે ત્યારે રાજકોટમાં નવલા નોરતામાં ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખેલૈયાઓ અવનવા સ્લોગન સાથે ટેટુ ચિતરાવી રહયાં છે.

નવરાત્રી શરૂ થવાને આડે હવે ગણતરીની કલાકો જ બાકી છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં વેલકમ નવરાત્રીના આયોજનો શરુ થઈ ચુક્યા છે. નવરાત્રીની જેમ જ ખેલૈયાઓ વેલકમ નવરાત્રીમા પણ મનભરીને ઝુમી રહ્યા છે. તો સાથે જ પાર્લરમાં જઈ ટેટુ પણ ચિતરાવી રહ્યા છે. હાલમાં જે રીતે મોટર વ્હિકલ એકટ અંતર્ગત હેલ્મેટના દંડમાં વધારો કરવામા આવ્યો છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે યુવતીઓ હવે ટેટુ દ્વારા જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત યુવતીઓ નવરાત્રીને લગતા ડાંડિયા, ફૂલોની ડિઝાઇન, ડાંડિયા રમતા યુગલ, મોડર્ન આર્ટ વગેરે પ્રકારના ટેટુ બનાવી રહી છે.

આ ટેટુનો કન્સેપટ આપનાર જય ગોહેલ અને યશ ભટ્ટે જણાવ્યુ હતુ કે પરમેનેન્ટ ટેટુ સિવાય ટેમ્પરરી ટેટુ બનાવવાનો ક્રેઝ વધુ જોવા મળે છે. આ પ્રકારના ટેટુ ફેબ્રીક કલર અથવા વોટર કલર કે પોસ્ટર કલરથી બને છે અને તે ટેટુ બે કે ત્રણ દિવસ રહે છે ત્યારબાદ ચામડી પરથી આપમેળે જ નીકળી જાય છે. તેથી આ પ્રકારના ટેટુ ખેલૈયાઓ વધારે કરાવે છે. કલાકાર હંમેશા કંઇક નવું કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે હેલ્મેટ શા માટે જરુરી છે તે અંગે સામાજિક સંદેશ આપવા માટે આ પ્રકારના ટેટુનો કન્સેપ્ટ અમે લાવ્યા છીએ.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories