રાજ્યની પ્રાથમિક શાળામાં પૌષ્ટિક નાસ્તો પણ વિદ્યાર્થીઓને પીરસાશે

New Update
રાજ્યની પ્રાથમિક શાળામાં પૌષ્ટિક નાસ્તો પણ  વિદ્યાર્થીઓને પીરસાશે

રાજયની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિઘાર્થીઓને વધુ પોષણયુકત ખોરાક મળી ૨હે તે માટે શિક્ષણ વિભાગે નિયત સમયે પૌષ્ટિક નાસ્તો ૫ણ આ૫વાનો નિર્ણય કર્યો છે.

ભોજનમાં થે૫લા, સૂકી ભાજી, વેજિટેબલ ખીચડી, દૂધી - ચણાનું શાક, દાળઢોકળી, વેજિટેબલ પુલાવ, મુઠિયા વગેરેનો પ્રથમ ભોજનમાં સમાવેશ કરાયો છે. જયારે નાસ્તામાં ચણા - ચાટ, સુખડી, મુઠીયા, મિકસ દાળ અને કઠોળ વિદ્યાર્થીઓને પીરસવામાં આવશે.