New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/mann-ki-baat2.jpg)
હોલિવૂડની ફિલ્મોનાં હિન્દી વર્ઝનમાં ટોચના કલાકારો પોતાનો કંઠ ઊછીનો આપતા હોય છે પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કંઠ તમને કોઇ ડોક્યુમેન્ટરીમાં સાંભળવા મળી શકે છે.
આ અંગે તપાસ કરતા મળેલી માહિતી મુજબ દસ્તાવેજી ફિલ્મો બનાવનારા ફિલ્મ સર્જક રામકુમાર શેડગેની કંપની વડાપ્રધાનના બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર અંગે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છે. એ માટે તેમણે વડાપ્રધાનના કાર્યાલયનો સંપર્ક સાધીને વડાપ્રધાનના કંઠની માંગણી કરી હતી.
આમ તો વડાપ્રધાનનું શિડયુલ ખૂબ ટાઇટ હોય છે એટલે પીએમઓએ તરત જવાબ આપ્યો નહોતુ પરંતુ આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ વડાપ્રધાનનાં અત્યાર સુધીના મન કી બાત પ્રવચનો માંથી કેટલોક હિસ્સો શેડગેની ફિલ્મમાં વાપરવાની પરવાનગી પીએમઓએ આપી હતી.