સાવલી : ગોઠડાની સીમમાં કેનાલમાં ભંગાણ, ખેતરોમાં પાકને નુકશાન
BY Connect Gujarat17 Nov 2019 11:20 AM GMT
X
Connect Gujarat17 Nov 2019 11:20 AM GMT
વડોદરા
જિલ્લા સાવલી
તાલુકાના ગોઠડા ગામ ની સીમમાં નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં ભંગાણ પડવાના કારણે
ડાંગર અને દિવેલાના પાકને નુકશાન થયું છે.
સાવલી
પાસેના ગોઠડા ગામ ની સીમમાંથી નર્મદા યોજનાની માઇનોર કેનાલ પસાર થાય છે. જેમાં
ભંગાણ પડવાથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાાં છે. ખેતરમાં બીન જરૂરી પાણી ભરાઈ
જતાં ડાંગર અને
દિવેલા તેમજ કપાસના પાક
ને ભારે નુકસાન થયું છે. જગતના તાત
કહેવાતા ખેડૂતએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે વારંવાર કમોસમી વરસાદથી મહામુસીબત
એ બચવેલ તૈયાર
પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં છે. આ બાબતે નર્મદા ના અધિકારીને લેખિતમાં
જાણ કરાઈ હોવા છતાં કાંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.
Next Story