સુરતમાં અભ્યાસઅર્થે આવેલા આંધ્રપ્રદેશના યુવાને હોસ્ટેલમાં કરી આત્મહત્યા

New Update
સુરતમાં અભ્યાસઅર્થે આવેલા આંધ્રપ્રદેશના યુવાને હોસ્ટેલમાં કરી આત્મહત્યા

સુરતની ઇચ્છાનાથ વિસ્તારમાં આવેલી SVNIT કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા હોસ્ટેલમાં ચકચાર મચી ગઇ હતી. હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓને આ વાતની જાણ થતાં તેમણે આત્મહત્યા કરનાર યુવાનને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃતક યુવાન મૂળ આંધ્રપ્રદેશનો વતની સમમુખ્ખા રેડ્ડી હતો. જે સુરતમાં અભ્યાસ અર્થે આવ્યો હતો. આ યુવાન શહેરની SVNITમાં બી.ટેક.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મોડી રાત્રે અગમ્ય કારણોસર યુવાને હોસ્ટેલના બાથરૂમમાં જઇ ટુવાલથી ગળેફાંસો ખાઇ લીધો હતો.

યુવાનનો મિત્ર તેને ગળેફાંસો ખાઇ લીધેલી હાલતમાં જોઇ લેતા હેબતાઇ ગયો હતો. તેણે આપઘાત કરનાર યુવાનને નીચે ઉતારીને હોસ્ટેલમાં બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી હોસ્ટેલના અન્ય યુવાનો પણ દોડી આવ્યા હતા અને આત્મહત્યા કરનાર યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, યુવાને કયા કારણસર આત્મહત્યા કરી તે જાણી શકાયુ નથી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.