New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13181632/IMG-20191113-WA0037-1.jpg)
સુરતના બારડોલી ખાતે કોંગ્રેસ દ્વારા જન આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આંદોલન બેરોજગારી,વધતી જતી મોંઘવારી અને મંદી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ જન વેદના કાર્યક્રમમાં કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ
હાજરી આપી હતી અને સરકાર વિરુદ્ધ હર હર મંદી,ઘર ઘર મંદી, સરદાર લડે થે ગોરો સે હમ લડે થે ચોરો સે, જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.