ભરૂચ: ઝઘડિયાની સેન્ટ ગ્લોબિન કંપનીમાં કાચની સ્લાઈડ પડતા કામદારનું ગંભીર ઇજાના પગલે મોત

ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું

New Update
  • ઝઘડિયા જીઆઇડીસીનો બનાવ

  • સેન્ટ ગ્લોબિન કંપનીમાં સર્જાય દુર્ઘટના

  • કાચની સ્લાઈડ કામદાર પર પડી

  • કામદારને ગંભીર ઇજા પહોંચી

  • સારવાર દરમ્યાન મોત નિપજ્યું

ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી અને કાચ બનાવતી સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદારનું મોત નીપજ્યું હતું. કંપનીમાં કામ કરતો 25 વર્ષથી આકાશ વસાવા કાચની સ્લાઈડનો મોટો જથ્થો ટ્રકમાં  લોડ કરી રહ્યો હતો તે દરમિયાન તેના પર કાચની સ્લાઈડ પડતા તે ગંભીર રીતે ઇજાગ્રત થયો હતો.કામદારને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.બનાવની તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

અંકલેશ્વરની એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો. જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો 

New Update
svem school ankleshwar
અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 21 જૂન 2025 ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં 11માં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા ભામીની ભરડીવાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી વિવિધ યોગાસન,પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો.
જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો  હતો. આથી તારીખ 21 જૂન 2015 થી આજ દિન સુધી દર વર્ષે શાળામાં શુભાશય સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી યોગઃ કર્મસુ કૌશલમ્ આ વાક્યને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષક કરણ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુર, તાલ, લયના સથવારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories