સુરત : માત્ર 7 સેકન્ડમાં જ મોબાઈલ આંચકી ગઠિયો થયો ફરાર, સીસીટીવી આવ્યા સામે

New Update
સુરત : માત્ર 7 સેકન્ડમાં જ મોબાઈલ આંચકી ગઠિયો થયો ફરાર, સીસીટીવી આવ્યા સામે

સુરત

શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસના ડર વિના લૂંટારુઓ અને ચોર બેફામ બન્યા છે.

શહેરમાં પાકીટ માર, ચેઇન

સ્નેચિંગના ઘણા કિસ્સાઓ પણ બહાર આવ્યા છે, ત્યારે અન્ય એક લૂંટની ઘટનાને અંજામ

આપતા સીસીટીવી બહાર આવ્યા છે.

સુરત

શહેરના વરાછા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ધોળા દિવસે એક બાઇક સવાર લૂંટારું રસ્તે

ચાલતા જતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન આંચકીને રવાના થઈ જાય છે. માત્ર 7 સેકન્ડમાં જ રાહદારીના હાથમાંથી ફોન

આંચકી બાઇક સવાર ગઠિયો ચોરીને અંજામ આપે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી

કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

જો કે, સુરત શહેરમાં ગુન્હાખોરીના આંકમાં દિન

પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લા પોલીસ ગુન્હાકૃત્યો અંશમાં લાવવા કોઈ ચોક્કસ એક્શન

પ્લાન બનાવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.