અંકલેશ્વરઃ જીવન જીવવાની કળા વિષય ઉપર યોજાયો દિવ્ય સત્સંગ
BY Connect Gujarat28 Dec 2018 9:56 AM GMT
X
Connect Gujarat28 Dec 2018 9:56 AM GMT
બે દિવસનો આ સત્સંગ કાર્યક્રમ GIDC સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર હોલમાં યોજાયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે જૈન સમાજ દ્વારા પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 27-28 ડિસેમ્બર એમ બે દિવસ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવચનમાં જીવન જીવવાની કળા વિષય ઉપર લલિત પ્રભજી મ.સા. અને ચંદ્રપ્રમભુ મ.સા. દ્વારા દિવ્ય સતસંગ સાથે માર્ગ દર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના હોલ ખાતે અંકલેશ્વર જૈન સમાજ દ્વારા પ્રવચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય લલિતપ્રભુજી મહરાજે જીવન જીવવાની કળા પર પ્રવચન રજુ કર્યું હતું સદર ધાર્મિક કાર્યક્રમનો જૈન સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
Next Story