Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં મોતાલી ગામે બે મકાનોમાં આગ થી નાશભાગ મચી

અંકલેશ્વરનાં મોતાલી ગામે બે મકાનોમાં આગ થી નાશભાગ મચી
X

અંકલેશ્વર તાલુકાનાં મોતાલી ગામ ખાતે મધ્યરાત્રિએ બે કાચા મકાનોમાં આગની ઘટના બની હતી,જોકે ઘરમાં ઉંઘતો પરિવાર સલામત રીતે ઘરની બહાર નીકળી જતા જાનહાની ટળી હતી.

અંકલેશ્વર તાલુકાનાં મોતાલી ગામ ખાતે રહેતા નટવર જેસીંગભાઈ વસાવા અને પ્રવીણ વસાવા એકબીજાનાં પાડોશી છે. મધ્યરાત્રીએ તેઓ પરિવારજનો સાથે ઘરમાં સુતા હતા, દરમિયાન અચાનક તેઓનાં ઘરમાં આગ લાગી હતી.

જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ દોડી આવીને ઘરમાં ઉંઘતા નટવર વસાવા અને પ્રવીણ વસાવાનાં પરિવારજનોને હેમખેમ ઘરની બહાર કાઢયા હતા, અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

વધુમાં આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા, અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો હતો, જોકે સર્જાયેલી ઘટનામાં બંને પરિવારનો બચાવ થયો હતો પરંતુ તેમની ઘરવખરી આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઈ હતી.

ઉપરાંત આગ લાગવાનું કારણ હજી જાણી શકાયુ નથી, પરંતુ શહેર પોલીસ દ્વારા જરૂરી તપાસ શરુ કરવામાં આવી છે.

Next Story