Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના ઉદ્યોગપતિના પુત્રનું દમણમાં માર્ગ અકસ્માતમાં મોત

અંકલેશ્વરના ઉદ્યોગપતિના પુત્રનું દમણમાં માર્ગ અકસ્માતમાં મોત
X

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગ ધરાવતા નારાયણ તોલાનીના પુત્રનું દમણમાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

અંકલેશ્વર શહેરની ગંગાજમના સોસાયટીમાં રહેતા અને ઔદ્યોગિક વસાહતમાં તોલાની ફેબ્રીકેટર્સ નામથી ઉદ્યોગ એકમ ધરાવતા નારાયણ તોલાનીનો પુત્ર દિપક તોલાની કોઈક કામ અર્થે કાર લઈને દમણ ગયા હતા.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મધ્યરાત્રીએ દિપક તોલાની દમણ થી પરત ફરી રહ્યા હતા.ત્યારે તેઓની કાર નાની દમણના બ્રિજ પાસે ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને પલ્ટી ખાઈ જતા દીપકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ માર્ગ અકસ્માતમાં દિપક તોલાનીનું કરુણ મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story