અંકલેશ્વરમાં રાજપૂત સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ કરાયો
BY Connect Gujarat12 Nov 2017 11:38 AM GMT
X
Connect Gujarat12 Nov 2017 11:38 AM GMT
અંકલેશ્વરમાં રાજપૂત સમાજ દ્વારા ફિલ્મ પદ્માવતીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, અને સ્કૂટર રેલી યોજીને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી.
ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ પદ્માવતી પહેલા થી જ વિવાદોમાં ઘેરાય છે, અને હવે ફિલ્મની રિલીઝ તારીખ નજીક છે ત્યારે ફિલ્મનો વિરોધ વધુ ઉગ્ર બનતો જાય છે.
અંકલેશ્વર, વાલિયા, કોસંબાનાં રાજપૂત સમાજનાં યુવાનો સાથે વિશ્વ હિન્દૂ પરિષદ ,બજરંગ દળ સહિત હિન્દૂ સંગઠનોએ સંયુક્ત રીતે અંકલેશ્વરનાં કાપોદ્રા પાટિયા પાસેથી સ્કૂટર રેલી યોજીને ફિલ્મ પદ્માવતીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
રાજપૂત સમાજનાં અગ્રણી વિજયસિંહ ખરચીયાએ જણાવ્યુ હતુ કે પદ્માવતી ફિલ્મ થકી સમાજનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે, તેથી રાજપૂત સમાજ ફિલ્મનો વિરોધ કરે છે,અને ફિલ્મ રિલીઝ ન કરવા માટેની માંગ તેઓએ કરી હતી.
Next Story