Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ભરૂચ વચ્ચે રેલવે લાઈન નજીક થી બિનવારસી બેડસીટ માંથી રાયફલ અને કારતુસ મળી આવ્યા

અંકલેશ્વર: ભરૂચ વચ્ચે રેલવે લાઈન નજીક થી બિનવારસી બેડસીટ માંથી રાયફલ અને કારતુસ મળી આવ્યા
X

અંકલેશ્વર ભરૂચ વચ્ચે રેલવે લાઈન પાસેની અવાવરૂં જગ્યામાંથી બિનવારસી બેડસીટ મળી આવી હતી, જેમાંથી રેલવે પોલીસને એક રાયફલ તેમજ ૧૮ નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા, શહેર પોલીસની પ્રાથમિક તપાસમાં આ હથિયાર સિક્યુરિટી એજન્સીનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંક્લેશ્વર ભરૂચ રેલવે લાઈન વચ્ચેની અવાવરૂ જગ્યા માંથી રેલવે પોલીસને એક બેડસીટ મળી આવી હતી, જેમાં રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેમાંથી પોલીસને એક ૧૨ બોરની રાયફલ તેમજ ૧૮ નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા.જેથી રેલવે પોલીસે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ,એ,ઝાલા તેમજ શહેર પોલીસ મથકનાં પીઆઇ એન,આર,ગામીત સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં ૧૨ બોરની રાયફલ તેમજ કારતુસ સાથે એસ સિક્યુરિટી લખેલો સ્ટીલનાં બક્કલ વાળો બેલ્ટ તેમજ એસ સિક્યુરિટી લખેલ એક કેપ તેમજ કપડા મળી આવ્યા હતા.

શહેર પોલીસે પાંચ હજારની કિંમત ૧૨ બોરની રાયફલ તેમજ ૧૮ નંગ જીવતા કારતુસ મળીને કુલ રૂપિયા ૫૫૧૦નો મુદ્દામાલ જપ્ત કરી. આ હથિયાર સિક્યુરિટી એજન્સીનું હોવાનું અનુમાન લગાવીને વધુ તપાસ શરુ કરી હતી.અને જો આ હથિયાર સિક્યુરિટી એજન્સીનું છે તો તે અવાવરૂ જગ્યા માંથી શા માટે મળ્યુતે અંગે શહેર પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story