Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓનો કરાયો નાશ

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા દેશી દારૂની  ભઠ્ઠીઓનો કરાયો નાશ
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ છે. અને અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તાલુકાનાં અમરતપુરા ગામ ખાતે મોટા પ્રમાણમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં પીઆઇ જે.જી.અમીન દ્વારા પોતાના સ્ટાફ સાથે અમરતપુરા ગામમાં ચાલતા દેશી દારૂનાં વેપલા પર તવાઈ બોલાવવામાં આવી હતી. અને પોલીસે 15 થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="35199,35200,35201,35202,35203,35204,35205"]

વધુમાં શહેર પોલીસે અંદાજીત 25000 લીટર વોશનો પણ નાશ કર્યો હતો, જ્યારે આ દરોડા દરમિયાન પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ પણ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવી ગઈ છે, અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વો સામે કડક કાર્યવાહી માટેનાં પ્રયાસો આરંભી દીધા છે, ત્યારે શહેર પોલીસે અમરતપુરા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Next Story