Connect Gujarat
દેશ

આપણે જે રાજધાનીમાં રહીએ છીએ તે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે કુખ્યાત છે : સોનિયા ગાંધી

આપણે જે રાજધાનીમાં રહીએ છીએ તે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે કુખ્યાત છે : સોનિયા ગાંધી
X

કોંગ્રેસના વચગાળાના

અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે દિલ્હીમાં પ્રદૂષણ અંગેની ચર્ચા વચ્ચે રાજધાનીમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે, કોંગ્રેસ

સરકારે જ આ સમસ્યાને દૂર કરવા માટે સીએનજી સંચાલિત

જાહેર પરિવહનની શરૂ કરી હતી.

સોનિયાએ તેમના

સંબોધનમાં કહ્યું, 'ઇન્દિરા ગાંધી પ્રતિબદ્ધ રાજકીય વ્યક્તિત્વ હતા, તેમ જ તેઓ વિવિધ

હિતો ધ્યાનમાં રાખતા હતા. રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન સારી રીતે લેખિત છે.

એક કાર્યક્રમ દરમિયાન

સોનિયા ગાંધીએ પર્યાવરણની સુરક્ષા માટે પૂર્વ વડાપ્રધાને લીધેલા પગલાઓનો પણ ઉલ્લેખ

કર્યો હતો. તેમણે કહ્યું, 'આપણે જે રાજધાનીમાં રહીએ છીએ તે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે કુખ્યાત છે, પરંતુ જ્યારે સીએનજીને જાહેર પરિવહન માટે લાગુ કરવામાં આવી હતી, ત્યારે આપણે હવાની

ગુણવત્તામાં આવેલા પરીવર્તનને યાદ કરી શકીએ છીએ. તે ફેરફાર સીએસઈની નક્કર કુશળતા અને તે સમયની કોંગ્રેસ સરકારને

કારણે શક્ય બન્યું હતું.

સોનિયા ગાંધીએ કહ્યું

કે અમારી સરકારે પ્રદૂષણને ઘટાડવા માટેની યોજનાઓ પર કામ કર્યું હતું, જેમ કે ડીઝલનો વપરાશ ઘટાડવો

અને ગુણવત્તામાં સુધાર લાવવો.

કાગળ બનાવવ માટે પાણીના વપરાશ ઘટાડયો. ખનન કંપનીઓ

દ્વારા વંચિત સ્થાનિક સમુદાયો સાથે લાભની વહેંચણી કરવી.

સોનિયા ગાંધીએ કહ્યું

કે, સ્થાપના પછીથી, સીએસઈ આપણા કુદરતી વાતાવરણને સૌરક્ષણ, સુરક્ષિત અને સુધારવાની લડતમાં હકીકતમાં ભારતની અંતરાત્મા બની ગઈ છે. આજે આપણે જે સંકટનો સામનો કરી રહ્યા છીએ, વર્ષોથી આ સમસ્યા અંગે

જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધી એકમાત્ર

વિદેશી વડા હતા જેણે 1972 માં સ્ટોકહોમમાં માનવ પર્યાવરણ અંગેના પ્રથમ સંયુક્ત

રાષ્ટ્ર સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ જ ભાષણમાં, ઇન્દિરા ગાંધીએ આજના પુરસ્કારના ત્રણ વિષય - શાંતિ, ની:શસ્ત્રીકરણ અને

વિકાસને જોડ્યા.

સોનિયા ગાંધીએ કહ્યું

કે, 1971 ના અંતમાં, પાકિસ્તાન સાથે ભારતની પૂર્વ સરહદ પર

ગંભીર સંકટની વ્યસ્તતા હોવા

છતાં, તેમણે અમારા વન્યપ્રાણીસૃષ્ટિની સુરક્ષા માટે ઐતિહાસિક

કાયદો પસાર કરવાની તક લીધી. રાષ્ટ્ર નિર્માણમાં ઈન્દિરા ગાંધીના યોગદાનની સારી

નોંધ લેવામાં આવે છે. તે ભારતની અદભૂત પ્રાકૃતિક વારસા દ્વારા આકર્ષિત પ્રખર પ્રાકૃતિકવાદી હતી, જે ભારતની ગૌરવપૂર્ણ

જૈવ વિવિધતાને ટકાવી રાખવા અને બચાવવા માટે કટિબદ્ધ હતી.

Next Story