Connect Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં શંકરસિંહના સમર્થકોએ લગાવ્યા નારા ' બાપુ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ '

ગાંધીનગરમાં શંકરસિંહના સમર્થકોએ લગાવ્યા નારા  બાપુ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ
X

ગાંધીનગરનાં ઓડિટોરિયમમાં શંકરસિંહ બાપુ દ્વારા પોતાના સમર્થકોને લઈને એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં બાપુના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

તારીખ 24મીની સાંજે ચાર વાગ્યે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાએ સમર્થકો સાથે સંમેલનનું આયોજન કર્યું હતુ. આ સંમેલનમાં બપોરથી જ કાર્યકરો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા.

શંકરસિંહ

શંકરસિંહ વાઘેલા જગન્નાથ મંદિરે દર્શન કરીને સંમેલન સ્થળે પહોંચ્યા હતા,જ્યાં તેઓના સમર્થકોએ ઉમળકાભેર બાપુનું સ્વાગત કર્યું હતુ.

સંમેલનમાં બાપુના સમર્થકોએ બાપુ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા લગાવીને બાપુને જબરજસ્ત ટેકો જાહેર કર્યો હતો.

બાપુએ સંમેલનમાં સંબોધનમાં આડકતરી કટાક્ષ કરીને જણાવ્યુ હતુ કે જે ને સમજણ ન પડે ઈલેક્શન કેમ લડાય અને કેમ જીતાય એવા લોકો પાર્ટીનાં માલિક બની ગયા છે.વધુમાં બાપુએ કોઈનું પણ નામ લીધા વગર જણાવ્યું હતુ કે મેં પક્ષ વિરોધી કામ કર્યું નથી અને પક્ષ વિરોધી કામ કરવા વાળા અત્યારે સારા પદ પર છે.

Next Story