Connect Gujarat
ગુજરાત

ગુજરાત પ્રવાસ ના અંતિમ દિવસે PM મોદીએ દાદરાનગર હવેલીને આપી 1500 કરોડના વિકાસની સોગાત

ગુજરાત પ્રવાસ ના અંતિમ દિવસે PM મોદીએ  દાદરાનગર હવેલીને આપી 1500 કરોડના વિકાસની સોગાત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાદરા નગર હવેલીની મુલાકાત લીધી હતી અને દાદરા નાગર હવેલીમાં 1500 કરોડના વિકાસના કાર્યોનુ લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીના હસ્તે સાયલીમાં 150 બેડની મેડિકલ કોલેજનુ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

પીએમ મોદી એ જાહેર સભાને પણ સંબોધી હતી અને આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીના આગમન પહેલા પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ નટુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.

Next Story