J&K : કુલગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓના ઠાર
BY Connect Gujarat22 July 2018 4:21 AM GMT
X
Connect Gujarat22 July 2018 4:21 AM GMT
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર કર્યાં છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે આ એન્કાઉન્ટર તે જ સ્થળે થયું જ્યાં કોન્સ્ટેબલ સલીમ શાહની હત્યા થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શક્યતા છે કે આ આતંકી જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સલીમ શાહની હત્યામાં સામેલ હોય. હાલ તો વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પોલીસે જણાવ્યું કે આતંકીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળી હતી જે બાદ સુરક્ષા દળોએ કુલગામના ખુદવાની વિસ્તારમાં ઘેરાબંધી અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આતંકીઓએ સિક્યોરિટી ફોર્સ પર ફાયરિંગ કર્યું હતું જે બાદ તપાસ અભિયાન અથડામણમાં ફેરવાયું હતું. સેનાએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં 3 આતંકીઓ ઠાર થયા છે.
Next Story