પાલેજ જીઅાઇડીસી માં બેરોજગાર યુવાનોને રોજગારી માટે સાંસદ અહેમદ પટેલને રજુઅાત કરાઇ
BY Connect Gujarat22 April 2018 9:48 AM GMT
X
Connect Gujarat22 April 2018 9:48 AM GMT
ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે અાવેલી ઓદ્યોગીક વસાહતમાં અાવેલા એકમોમાં સ્થાનિક બેરોજગાર યુવાનોને નોકરી પર લેવા બાબતે દિલ્હી ખાતે સાંસદ અહેમદ પટેલને રજુઅાત કરાઇ હતી.
પાલેજના કોંગી કાર્યકર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલખાં જહાંગીરખાં પઠાણે દિલ્હી ખાતે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને રૂબરૂ મળી સ્થાનિક યુવાનોને પાલેજ ખાતે અાવેલી ઓદ્યોગીક વસાહતમાં અાવેલા એકમોમાં રોજગારી મળે તે બાબતે તથા પાલેજ ખાતે અાવેલી એમકોર કંપનીમાં છુટા કરાયેલા 70 જેટલા કામદારોને કંપની દ્વારા પુન: નોકરી પર લેવા બાબતે રજુઅાત કરતા સાંસદ અહેમદ પટેલે અા બાબતે યોગ્ય ઘટતું કરવાની ખાત્રી ઉચ્ચારી હતી.
Next Story