રાજકોટ : પી.ચિદમ્બરમની ધરપકડને યોગ્ય ગણાવતાં પુર્વ સેનાધ્યક્ષ
BY Connect Gujarat22 Aug 2019 12:04 PM GMT
X
Connect Gujarat22 Aug 2019 12:04 PM GMT
આઇએનએકસ મીડિયા કેસમાં સીબીઆઇ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ કરવાં આવી છે. રાજકોટની મુલાકાતે આવેલા ભારતીય સેનાના પૂર્વ અધ્યક્ષ વી.કે.સિંહે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પી .ચિદમ્બરમની ધરપકડ કાયદા મુજબ કરવામાં આવી છે. કાયદો કાયદાનું કામ કરે છે. કાળા નાણાંનો ઉપયોગ કરનાર વિરુદ્ધ મોદી સરકાર કાર્યવાહી કરી રહી છે. તો સાથે જ કચ્છના સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની આર્મડ ફોર્સની તૈનાતી અંગે વાત કરતા જણાવ્યું હતું કે આર્મડ ફોર્સની તૈનાતી રૂટિન પ્રક્રિયા છે. દેશવાસીઓ ડરવાની જરૂર નથી. પાકિસ્તાનને જવાબ આપવા ભારતીય સેના સક્ષમ છે.
Next Story