Connect Gujarat
ગુજરાત

બંગલામાંથી તસ્કરોને ઝડપી પાડવા ભરૂચ સી ડીવિઝન પોલીસે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

બંગલામાંથી તસ્કરોને ઝડપી પાડવા ભરૂચ સી ડીવિઝન પોલીસે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રાત્રી દરમિયાન એક બંગલામાં ચોરીના ઇરાદે ધૂસેલા તસ્કરોને સી ડીવિઝન પોલીસે ત્રણ થી ચાર કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ ભારે હિંમત બતાવી તસ્કરોના વળતા હૂમલા વચ્ચે બે ને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રીના ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં તસ્કરો ચોરી કરવાના ઇરાદે ધૂસ્યા હતા. જે ઘટના સી.સી.ટી.વીમાં દેખાતા સોસાયટીના રહીશોએ એક્ઠા થઈ તસ્કરોની શોધખોળ હાથધરી હતી. દરમિયાન સોસાયટીના આસોપાલવના ઝાડ પાછળથી તસ્કરોને પકડી પાડતા તસ્કરોએ લાક્ડી વડે વળતો પ્રહાર કર્યો હતો.આખરે સોસાયટીના રહીશોએ પણ ચોરીના ઇરાદે આવેલ બંન્નેવ તસ્કરોને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.ત્યારે સોસાયટીના રહીશોના હાથમાંથી છટકી આબંન્નેવ તસ્કરોએ એક બંગલાના ધાબા ઉપર ચઢી જઈ બંગલાના ડોમના કાચ તોડી બંગલામાં ધૂસી ગયા હતા.જેના પગલે સોસાયટીના રહીશોએ સમગ્ર ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને કરી હતી.પોલીસને જાણ કરાતા જ પોલીસ હથીયારો સાથે રાધાકૃષ્ણ સોસાયટીમાં દોડી આવી હતી.દરમિયાન આખી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ઉત્તેજનાનો માહોલ ઉભો થવા પામ્યો હતો.

તસ્કરોએ પણ હથીયાર સાથે હોય અને લોકો ઉપર વળતો હૂમલો કરી બંગલામાં ધૂસી જતા પોલીસ પણ એક તબક્કે આ તસ્કરોને કઈ રીતે પકડવા તેની વિમાસણમાં હતી.પરંતુ સી ડિવિઝનના પોલીસકર્મીઓએ હિંમત બતાવી તસ્કરોને ઝડપી પાડવા રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યું હતું. પોલીસે સોસયટીના દરવાજા ઉપર પહેરો ગોઢવી બીજી બાજુ મશીનગન સાથે બંગલમાં પ્રવેશ કરતાં એક્ષન ફિલ્મ જેવા દ્રષ્યો સર્જાયા હતા. બંગલામાં તસ્કરોને પકાવા ધૂસેલી પોલીસ ઉપર પણ તસ્કરોએ હૂમલો કરતા એક સમયે માહોલ ગરમાયો હતો.બંગલામાં ધૂસેલી પોલીસ ઉપર પણ તસ્કરો દ્વારા મારક હથીયાર વડે ગમે ત્યાંથી હૂમલો કરે તેવા ભય વચ્ચે પણ પોલીસે હિંમત બતાવી બંગલામાં તસ્કરોની તપાસ આરંભી હતી. ભય અને ઉત્તેજના ભર્યા માહોલ વચ્ચે સી ડિવિઝન પોલીસે બંગલાના રસોડાના માળીયેથી બંન્નેવ તસ્કરોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આ બંન્નેવ તસ્કરોને ઝડપી પાડતા સોસાયટી રહીશોએ રાહતનો શ્વાશ લીધો હતો.પોલીસે ઝડપાયેલા બંન્નેવ તસ્કરોની આકરી પુછતાછ કરતા તેઓ મુળ છોટાઉદેપુરના કાળી તળાવડીનો વિજય રમેશ જોશી અને બીજો રાજસ્થાનના પાલી ગામનો વતેસિંહ મારવાડી હોવાની હકીકત બહાર આવી હતી.આ બંન્નેવ તસ્કરો છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોક્ડીની ફૂટપાથ ઉપર રહેતા હતા. પોલીસે બંન્નેવની ધરપકડ કરી તેની સાથે અન્ય બીજા કોણ સંડોવાયેલા છે અને બીજે કયાં કયાં ચોરીને તેમણે અંજામ આપ્યો છે તે જાણ વા તેમની વધુ સઘન પુછતાછ હાથ ધરી છે.

Next Story