બાળકને લંડન સ્થિત પરિવાર દત્તક લે તે પહેલાં જ થયો તેના અપહરણનો પ્રયાસ
જુનાગઠ જિલ્લાના કેશોદ નજીક એક બાળકના અપહરણના પ્રયાસનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં બે અપહરણકારોએ ગોપાલ તેજાણી નામના બાળકના અપહરણનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે બાળકના પરિવારજનો સમયસર આવી જતાં અપહરણકારો અને બાળકના પરિવાર જનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પરિવારના એક સભ્ય અને ગોપાલ તેજાણીને ઈજા પણ પહોંચી હતી.
ઘર્ષણ દરમિયાન ગોપાલ તેજાણીને અપહરણકારો દ્વારા છરીના ઘા મારવામાં આવતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બાળક અને પરિવારના એક સભ્યને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા.
ગોપાલ તેજાણીને ટુંક જ સમયમાં પંજાબનો પરિવાર કે જે હાલ લંડન સ્થિત છે તે તેને દત્તક લેવાનો છે. કારણ કે ગોપાલના પિતા મૃત્યુ પામ્યા છે, તેમજ તેની માતાએ બીજા લગ્ન કરી લિધા છે. જેથી હાલ બાળક ગોપાલ તેની મોટી બહેન અને બનેવી સાથે રહેતો હતો. ત્યારે લંડન સ્થિત પરિવારે થોડાક સમય પહેલાં જ ગોપાલને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હોઈ હાલ તેના પાસપોર્ટની કાર્યવાહી શરૂ છે.